જ્યોર્જ સિમોન ઓહમ (George Simon ohm) (1787-1854)
- એક જર્મન ભૌતિકવૈજ્ઞાનિક છે.
- મ્યુનીચ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવેલ છે.
- ઓહમેં તેમનો નિયમ ઉષ્માવહનની પ્રક્રિયા સાથેની સામ્યતાને આધારે આપ્યો।
- વિદ્યુત ક્ષેત્ર એ તાપમાનના પ્રચલનને સમતુલ્ય અને વિદ્યુતપ્રવાહ એ ઉષ્માપ્રવાહ સાથે સામ્યતા ધરાવે છે.
ઓહમનો નિયમ:- "નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે." એટલે કે "નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વોલ્ટેજ અને વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર અચળ રહે છે."